સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હસ્તક નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા અમલીત અનુસૂચિત જાતિના લોકો માટેની યોજનાઓની વિગત દર્શાવતું પત્રક
ક્રમ |
યોજનાની વિગત |
સહાયની વિગત |
કોને મળવા પાત્ર છે? |
જરૂરી દસ્તાવેજો |
૧ |
અનુ.જાતિના (ધોરણ ૧ થી ૧૦) એસ.એસ.સી. સુધીના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને શિષ્યવૃત્તિ |
ધો. ૧ થી ૮ના કુમાર રૂ.૫૦૦/- (વાર્ષિક) ધો.૬ થી ૮ની કન્યા ૭૫૦/- (વાર્ષિક) આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. |
અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને |
શાળા/સંસ્થા મારફત ઓનલાઇન દરખાસ્ત મોકલવાની રહે છે. |
૨ |
અનુ.જાતિના (ધોરણ ૧ થી ૮) સુધીના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને ગણવેશ સહાય |
પ્રાથમિક શાળામાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા અનુ.જાતિના કુટુંબોના બાળકોને ત્રણ જોડી ગણવેશ પેટે રૂ. ૬૦૦/- રોકડ સહાય ચુકવવામાં આવે છે. આવક મર્યાદા નથી |
પ્રાથમિક શાળામાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના કુટુંબોના બાળકોને આવક મર્યાદા નથી |
શાળા/સંસ્થા મારફત ઓનલાઇન દરખાસ્ત મોકલવાની રહે છે. |
૩ |
અનુ.જાતિ પૈકી અતિપછાત જાતિના એસ.એસ.સી. સુધીના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને શિષ્યવૃત્તિ |
આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. ધો. ૧ થી ૮ રૂ. ૭૫૦/- (વાર્ષિક) અને ધો. ૯ થી ૧૦ રૂ. ૧૦૦૦/- (વાર્ષિક) |
અનુસૂચિત જાતિમાં સમાવેશ થયેલ અતિપછાત જાતિના ધોરણ ૧ થી ૧૦ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ |
શાળા/સંસ્થા મારફત ઓનલાઇન દરખાસ્ત મોકલવાની રહે છે. |
૪ |
અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ વ્યક્તિઓના બાળકોને પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ |
ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓને ડેસ્કોલર હોય તો વાર્ષિક રૂા. ૩૦૦૦/- અને હોસ્ટેલરને રૂા.૮૦૦૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર છે. |
અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૧૦ ના બાળકના વાલી અસ્વચ્છવ્યવસાયમાં રોકાયેલ હોય તેને મળવાપાત્ર છે. કોઈ આવક મર્યાદા નથી, |
અસ્વચ્છ વ્યવસાય અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, અરજી ફોર્મ, આધારકાર્ડ, બેંક એકાઉન્ટ, વિગેરે આધારો સાથે શાળા/સંસ્થા દ્વારા ઓનલાઇન દરખાસત કરવાની રહે છે. |
૫ |
ધોરણ-૯ અને ૧૦ માં અભ્યાસ કરતા અનુ.જાતિના વિધાર્થીઓને ભારત સરકારશ્રીની શિષ્યવૃતિ |
ધોરણ ૯ થી ૧૦ ના વિધાર્થીઓને ડેસ્કોલર હોય તો વાર્ષિક રૂા. ૩૦૦૦/- અને હોસ્ટેલરને રૂા.૬૨૫૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર છે. |
અનુસૂચિત જાતિના ધોરણ ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને |
નિયત અરજી ફોર્મમાં અરજી કરવાની રહે જેમાં આધારકાર્ડ, બેંક એકાઉન્ટ, વિગેરે આધારો સાથે શાળા/સંસ્થા દ્વારા ઓનલાઇન દરખાસત કરવાની રહે છે. |
૬ |
સરસ્વતી સાધના યોજના |
ધો.૯માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. |
અનુસૂચિત જાતિની ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને. આવક મર્યાદા શહેરી વિસ્તારમાં રૂ.૧૫૦૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- છે. |
શાળા/સંસ્થા મારફત ઓનલાઇનદરખાસ્ત મોકલવી, જેમા આગલા ધોરણની માર્કશીટ, આવક/ જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા |
૭ |
ડો.આંબેડકર આવાસ યોજના |
અનુ.જાતિના ઇસમોને મકાન બાંધકામ માટે રૂ.૧૨૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. |
અનુ.જાતિના ઇસમો કે જેઓ પોતાના નામે કાચુ ઘર અથવા ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય અને આવક મર્યાદામાં ગ્રામ્ય વિસ્તાર રૂ.૧૨૦૦૦૦/- અને શહેર વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/-હોવી જોઇએ. |
અરજી ફોર્મ સાથે જમીનનો આધાર, ઘરવેરા પહોંચ, રજાચીઠ્ઠી, ચતુર્દિશા નકશો, અન્ય જગ્યાએથી મકાન સહાય લીધેલ નથી તેવું પ્રમાણપત્ર, આવક/ જાતિ પ્રમાણપત્ર, લાભાર્થીનો જર્જરીત ધરસાથેનો ફોટોગ્રાફ, સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા સાથે ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે. |
૮ |
કુંવરબાઇ મામેરૂં |
અનુ. જાતિની એક કુંટુંબ દીઠ બે કન્યાના લગ્ન પ્રસંગે મામેરા સહાય રૂ.૧૦૦૦૦/- આપવામાં આવે છે. |
આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્યવિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૫૦૦૦૦/- છે. લગ્ન થયા તારીખથી ૨(બે) વર્ષમાં અરજી કરવાની રહેશે. |
અરજી ફોર્મ સાથે જાતિ/આવક પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, રેશનકાર્ડ, બંનેના ઉંમર અંગેના આધારપૂરવા, સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા સાથે ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે. |
૯ |
સત્યવાદી રાજા હરિશચંદ્ર અંત્યેષ્ઠિ સહાય |
અનુ.જાતિના ઇસમના મૃત્યુ પ્રસંગે વારસદારને અંત્યેષ્ઠિ સહાય પેટે રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે. |
આવક મર્યાદા ગ્રામ્યવિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તારમાટે આવક મર્યાદા રૂ. ૧૫૦૦૦૦/- છે. મૃત્યુ થયાના છ માસમાં અરજી કરવાની રહેશે. |
અરજી ફોર્મ સાથે મરણ અંગેનું પ્રમાણપત્ર, જાતિ/આવક પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, રેશનકાર્ડ, સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા સાથે ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે. |
10 |
અનુસુચિત જાતિના લોકોને જાતિના પ્રમાણપત્ર |
અનુસુચિત જાતિના લોકોને જાતિના પ્રમાણપત્ર |
અનુસુચિત જાતિના વ્યક્તિઓને |
અરજદારનું તથા તેના પિતા/વાલીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,રેશનકાર્ડ,આધારકાર્ડ,ફોટોગ્રાફ,ચુંટણી કાર્ડ તથા સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા |
સક્સેસ સ્ટોરી |
||
ક્રમ નં. |
વિગત |
નોંધ |
૧. |
યોજનાનું નામ : |
ડો.આંબેડકર આવાસ યોજના |
૨. |
સેક્ટર: |
અનુ. જાતિ કલ્યાણ |
૩. |
યોજનાની ટુંકમાં માહિતિ: |
આ યોજના અંતર્ગત અનુજાતિના ઇસમોને મકાન બાંધવા માટે રૂ.૧૨૦૦૦૦/- મકાન સહાય આપવામાં આવે છે. |
૪. |
યોજનાના લાભાર્થીઓ: |
અનુજાતિના ઇસમો કે જે કાચું મકાન અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા હોય.આ યોજના માટે આવકમર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦ છે. |
૫. |
યોજનાના ઉદ્દેશો: |
અનુજાતિના ગરીબ લોકોરહેવા માટે પાકું મકાન ધરાવી શકે તે માટે મકાન સહાય આપવી. |
૯. |
યોજનાની અસરો: |
અનુજાતિના ગરીબ લોકો કે જે રહેવા માટે કાચું મકાન ધરાવતા હોય તેઓ આ યોજનાના માધ્યમથી પોતાનું પાકુ મકાન બનાવી શકે તથા સ્વમાનભેર જીવન જીવી શકે. |
૧૧. |
ગામનું નામ:- |
સાપકડા |
૧૨. |
યોજનાનો લાભ લેનાર વ્યક્તિઓના નામ: |
ચૌહાણ હમિરભાઈ કાનાભાઈ મુ. સાપકડા તા.હળવદ જિ.મોરબી |
૧૩. |
યોજના મંજુર થયાનું વર્ષ: |
૨૦૧૯-૨૦ |
૧૪. |
યોજનામાં મંજુર થયેલ રકમ: |
રૂ.૧૨૦૦૦૦/- |
૧૫. |
સક્સેસ સ્ટૉરીની વિગત: |
અરજદારશ્રી ચૌહાણ હમિરભાઈ કાનાભાઈ પોતાનું ગાર માટીનું મકાન ધરાવતા હતા જે જર્જરીત અવસ્થામાં હતુ અરજદારશ્રીને આ યોજના દ્વારા પોતાનું મકાન પાડીને નવું પાકુ મકાન બનાવવા માટે રૂ.૧૨૦૦૦૦/- ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવી જેનાથી હવે તેઓ પોતાનું પાકું મકાન ધરાવે છેજેમાં શૌચાલયની સુવિધા છે.અરજદારશ્રીની યોજના પહેલા તથા યોજના પછીની સ્થિતિના ફોટોગ્રાફ આ સાથે સામેલ છે. |
૧૬. |
ફોટૉગ્રાફ: |
સામેલ છે. |