મેલેરિયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઈલેરિયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાંના ભાગ રૂપેનીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
- રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી
- પોઝીટીવ કેસોની સંપૂર્ણ સારવાર
- દર મંગળવારે ટાંકી- ગઢીમાં પોરાનાશક દવા આશા દ્વારા નાખવામાં આવે છે.
- મચ્છરના પોરાની શોધ અને પોરાનાશક કામગીરી જેવી કે કેમીકલ લાર્વીસાઈડ, બળેલું ઓઈલ નાખવાની કામગીરી.
- કાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોમાં જૈવિક નિયંત્રણના ભાગ રૂપે પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવે છે
- મચ્છર ઉત્પત્તિ નિયંત્રિત કરવા જનસમુદાયની મચ્છરદાની દવાયુકત કરવાની કામગીરી તેમજ સરકારશ્રીનાં નિયમ અનુસાર અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે છે.
- રોગચાળાની પરિસ્થિતિમાં વાહક મચ્છરોનો તાત્કાલિક નાશ કરવા રાસાયણિક ધુમાડો કરવો (ફોગીંગ) વિગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે.
- ઉપરાંત નીચેની કક્ષાએથી તમામ કામગીરીના રિપોર્ટ એકત્રિત કરવા તથા તેના રિવ્યુ કરી જરૂરી માર્ગદર્શન આપવું તેમજ રાજય કક્ષાએ રિપોર્ટ સાદર કરવા તેમજ રાજય કક્ષાએથી આવેલ સુચના અને માર્ગદર્શનની અમલવારી કરવી.